પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી લવૈન તા. 17 એપ્રિલના રોજ મળ્યા હતા અને વર્ષ 2016માં મુંબઈ ખાતે જાહેર કરેલા સંયુક્ત નિવેદનની બાબતોનો પુનરોચ્ચાર કર્યો હતો. અત્યાર સુધી અમલીકરણમાં થયેલી પ્રગતીને આવકારી હતી અને સહયોગના એકંદર રાજકિય માળખામાં સંયુક્ત નિવેદનની નિષ્ઠા અંગે પણ પુનરોચ્ચાર કર્યો હતો.
ભારત અને સ્વીડન લોકશાહીના સમાન મૂલ્યો, કાયદાનું શાસન, માનવ અધિકારોનું સન્માન, ભિન્ન સમુદાયોનું અસ્તિત્વ અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય રાજકીય વ્યવસ્થાની એકસમાન ભાગીદારીમાં નિષ્ઠા ધરાવે છે.
બંને પ્રધાનમંત્રીઓએ જળવાયુ પરિવર્તન, કાર્યસૂચિ-2030, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતિ, માનવ અધિકારો, જાતિય સમાનતા, માનવતાવાદી મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર જેવા મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પરસ્પર સંમતિથી સંવાદ અને સહયોગ પ્રત્યે નિષ્ઠા દર્શાવી છે. બંને પ્રધાનમંત્રીઓએ જળવાયુ પરિવર્તન અંગેના વૈશ્વિક પ્રયાસો માટે તાકીદે પગલાં લેવાની બાબત અંગે ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો અને પેરિસ સંધિ બાબતે તેમના સમાન સહયોગ ચાલુ રાખવાની બાબત પર ભાર મૂક્યો હતો. બંને પક્ષો એ બાબતે સંમત થયા હતા કે સુરક્ષા નીતિ અંગે બંને દેશોના સુરક્ષા સલાહકારો દ્વારા સંયુક્ત નિવેદન મુજબ સતત સંવાદ ચાલુ રહેવો જોઈએ. બંને દેશોના પ્રધાનમંત્રીઓ સંયુક્ત રાષ્ટ્રમાં અને અન્ય બહુપક્ષીય મંચ પર ઘનિષ્ઠ સહયોગ બાબતે સંમતિ દર્શાવી હતી. કાર્યસૂચિ-2030 અંગે પરિણામ મળે તે રીતે સભ્ય દેશો સંયુક્ત રાષ્ટ્ર સાથે સુધારા હાથ ધરવાની ખાતરી આપે તેવી હિમાયત કરી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારા સહિત તેમાં વધુ પ્રતિનિધિત્વ થાય, જવાબદારી આવે, 21મી સદીની વાસ્તવિકતાઓ અંગે અસરકારક અને પ્રતિભાવયુક્ત વલણ દાખવવામાં આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ, પ્રધાનમંત્રી લવૈનનો સંયુક્ત રાષ્ટની સુરક્ષા પરિષદમાં (વર્ષ 2021-22) બિન કાયમી સભ્યપદ માટે ટેકો આપવાની બાબતને બિરદાવી હતી અને સ્વીડનના ટેકાથી સંયુક્ત રાષ્ટ્રની વિસ્તૃત કરાયેલી સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ મળે તે માટે ટેકાની ખાતરીને બિરદાવી હતી.
બંને પ્રધાનમંત્રીઓએ વૈશ્વિક નિકાસ નિયંત્રણ, પરમાણુ પ્રસાર નિયંત્રણ અને નિઃશસ્ત્રીકરણના ઉદ્દેશોને ટેકો આપવાની અને મજબૂત કરવાની નિષ્ઠા વ્યક્ત કરી હતી અને આ ક્ષેત્રોમાં ઘનિષ્ઠ સહયોગ માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી લવૈને આંતરરાષ્ટ્રીય નિકાસ નિયંત્રણ વ્યવસ્થામાં ફેરફારોનાં ભારતના પ્રયાસોને બિરદાવ્યા હતા તથા ઓસ્ટ્રેલિયા ગ્રુપ (AG), વેસેનાર એરેન્જમેન્ટ (WA), મિસાઈલ ટેકનોલોજી અંગે નિયંત્રણ વ્યવસ્થા (MTCR), બેલાસ્ટીક મિસાઈલ અંગે હેગની આચાર સંહિતાનો પ્રસાર (HCOG) વગેરે અંગે ન્યુક્લિયર સપોર્ટ ગ્રુપ (NSG) માં ભારતને સભ્ય પદ આપવા અંગે સમર્થન વ્યક્ત કર્યું હતું.
બંને પ્રધાનમંત્રીઓએ આતંકવાદ સામે લડત આપવા, આતંકવાદીઓનું માળખુ અને તેમને થતી નાણાંકિય સહાય તોડી પાડવા અને હિંસક આંત્યક્તિકતા સામે વધુ સારી એકતા અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી દાખવવાની હિમાયત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે આતંકવાદનો સામનો કરવા માટેના કાનૂની માળખાને નિયમિતપણે અદ્યતન કરતાં રહેવું જોઈએ અને તાકાત વડે આતંકવાદની વધતી જતી ધમકીઓનો ઉકેલ લાવવો જોઈએ તથા આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરી આતંકવાદ સામેનું કામ પાર પાડવું જોઈએ. આ બાબતે બંને દેશોએ આંતરરાષ્ટ્રીય આતંકવાદ સામે ઘનિષ્ઠ સંમેલન (CCIT) ને આખરી ઓપ આપવા હિમાયત કરી હતી.
દ્વિપક્ષી સહયોગને વધુ પ્રોત્સાહન માટે તેમણે ઇન્ડિયા-સ્વીડન સંયુક્ત કાર્ય યોજના નક્કી કરવાનો નિર્ણય કર્યો હતો, જેની હેઠળ ભારત અને સ્વીડનના સંબંધિત મંત્રાલયો, એજન્સીઓ અને કાર્યકર્તાઓ નીચે મુજબના ઉદ્દેશો દાખવશે.
નવીનીકરણ
વેપાર અને મૂડી રોકાણ
સ્માર્ટ સિટી અને નવા યુગની પરિવહન વ્યવસ્થા
સ્માર્ટ, પર્યાવરણલક્ષી અને પુનઃપ્રાપ્ય ઊર્જા
મહિલાઓમાં કૌશલ્ય વિકાસ અને સશક્તિકરણ
સંરક્ષણ
અંતરિક્ષ અને વિજ્ઞાન
આરોગ્ય અને જીવન વિજ્ઞાન
અનુવર્તન
NP/J.Khunt/RP