Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીનો સંદેશ


વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંદેશનો મૂળ પાઠ આ પ્રમાણે છે:

“આજે વિશ્વ આરોગ્ય દિવસ પર આપણે સૌએ ન માત્ર એક-બીજાને સારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરવી જોઈએ, પરંતુ આપણે તે દરેક ડૉક્ટર, નર્સ, આરોગ્ય કર્મીઓ પ્રત્યે આપણી કૃતજ્ઞતા પણ ફરી વ્યક્ત કરવી જોઈએ જે ‘કોવિડ-19’ના જોખમો સામેની લડાઈનું દ્રઢતાથી નેતૃત્વ કરી રહ્યા છે.

આ વિશ્વ આરોગ્ય દિવસ પર આપણે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણે સામાજિક અંતર બનાવી રાખવાના માપદંડોનું સતત પાલન કરીશું જે આપણા જીવનની સાથે-સાથે બીજાના જીવનની પણ રક્ષા કરે છે. હું એવી કામના કરું છું કે આ ખાસ દિવસ આપણાને આખા વર્ષ દરમિયાન વ્યક્તિગત તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરે, જેનાથી આપણા સંપૂર્ણ આરોગ્યને જાળવી રાખવામાં મદદ મળશે.


વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંદેશનો મૂળ પાઠ આ પ્રમાણે છે:

“આજે વિશ્વ આરોગ્ય દિવસ પર આપણે સૌએ ન માત્ર એક-બીજાને સારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરવી જોઈએ, પરંતુ આપણે તે દરેક ડૉક્ટર, નર્સ, આરોગ્ય કર્મીઓ પ્રત્યે આપણી કૃતજ્ઞતા પણ ફરી વ્યક્ત કરવી જોઈએ જે ‘કોવિડ-19’ના જોખમો સામેની લડાઈનું દ્રઢતાથી નેતૃત્વ કરી રહ્યા છે.

આ વિશ્વ આરોગ્ય દિવસ પર આપણે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણે સામાજિક અંતર બનાવી રાખવાના માપદંડોનું સતત પાલન કરીશું જે આપણા જીવનની સાથે-સાથે બીજાના જીવનની પણ રક્ષા કરે છે. હું એવી કામના કરું છું કે આ ખાસ દિવસ આપણાને આખા વર્ષ દરમિયાન વ્યક્તિગત તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરે, જેનાથી આપણા સંપૂર્ણ આરોગ્યને જાળવી રાખવામાં મદદ મળશે.