મહાકુંભને ‘એકતાનો મહાયજ્ઞ‘ ગણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, ભારતને તેના વારસા પર ગર્વ છે અને તે નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે આ પરિવર્તનના યુગનો ઉદય છે. જે દેશના નવા ભવિષ્યને લખવા માટે તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું કે મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તોનો ભાગ લેવો એ ફક્ત એક રેકોર્ડ નથી પરંતુ ઘણી સદીઓથી આપણી સંસ્કૃતિ અને વારસાને મજબૂત અને સમૃદ્ધ રાખવા માટે એક મજબૂત પાયો મૂકરવામાં આવ્યો છે. એકતાના મહાકુંભના સફળ સમાપન પર સંતોષ વ્યક્ત કરતા અને નાગરિકોને તેમની મહેનત, પ્રયત્નો અને નિશ્ચય માટે આભાર માનતા શ્રી મોદીએ એક બ્લોગમાં પોતાના વિચારો લખ્યા અને તેને X પર શેર કર્યા છે.
“મહાકુંભ પૂર્ણ થયો… એકતાનો મહાન યજ્ઞ પૂર્ણ થયો. પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં 45 દિવસ સુધી એક જ સમયે આ એક ઉત્સવ માટે 140 કરોડ ભારતીયોની શ્રદ્ધા જે રીતે એકઠી થઈ, તે અદભુત છે! મહાકુંભ પૂર્ણ થયા પછી મારા મનમાં આવેલા વિચારોને લખવાનો મેં પ્રયાસ કર્યો છે…”
“મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તોનો ભાગ લેવો એ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ તેણે ઘણી સદીઓથી આપણી સંસ્કૃતિ અને વારસાને મજબૂત અને સમૃદ્ધ રાખવા માટે એક મજબૂત પાયો પણ નાખ્યો છે.”
“આજે પ્રયાગરાજનો મહાકુંભ વિશ્વભરના મેનેજમેન્ટ વ્યાવસાયિકો તેમજ આયોજન અને નીતિ નિષ્ણાતો માટે સંશોધનનો વિષય બની ગયો છે.”
“આજે ભારત તેના વારસા પર ગર્વ અનુભવે છે, એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. આ યુગ પરિવર્તનનો અવાજ છે, જે દેશ માટે એક નવું ભવિષ્ય લખવા જઈ રહ્યો છે.”
“આ મહાકુંભમાં સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્રના લોકો એકઠા થયા હતા.‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘નું આ અવિસ્મરણીય દ્રશ્ય કરોડો દેશવાસીઓમાં આત્મવિશ્વાસનો ભવ્ય ઉત્સવ બની ગયું.”
“એકતાના આ મહાકુંભને સફળ બનાવવા માટે દેશવાસીઓની મહેનત, પ્રયત્નો અને દૃઢ નિશ્ચયથી પ્રભાવિત થઈને હું બાર જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના દર્શન કરવા જઈશ. હું શ્રદ્ધારૂપી સંકલ્પ પુષ્પ સમર્પિત કરીને દરેક ભારતીય માટે પ્રાર્થના કરીશ. હું ઈચ્છું છું કે દેશવાસીઓમાં એકતાનો આ અવિરત પ્રવાહ આ રીતે જ ચાલુ રહે.”
महाकुंभ संपन्न हुआ…एकता का महायज्ञ संपन्न हुआ। प्रयागराज में एकता के महाकुंभ में पूरे 45 दिनों तक जिस प्रकार 140 करोड़ देशवासियों की आस्था एक साथ, एक समय में इस एक पर्व से आकर जुड़ी, वो अभिभूत करता है! महाकुंभ के पूर्ण होने पर जो विचार मन में आए, उन्हें मैंने कलमबद्ध करने का… pic.twitter.com/TgzdUuzuGI
— Narendra Modi (@narendramodi) February 27, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
महाकुंभ संपन्न हुआ...एकता का महायज्ञ संपन्न हुआ। प्रयागराज में एकता के महाकुंभ में पूरे 45 दिनों तक जिस प्रकार 140 करोड़ देशवासियों की आस्था एक साथ, एक समय में इस एक पर्व से आकर जुड़ी, वो अभिभूत करता है! महाकुंभ के पूर्ण होने पर जो विचार मन में आए, उन्हें मैंने कलमबद्ध करने का… pic.twitter.com/TgzdUuzuGI
— Narendra Modi (@narendramodi) February 27, 2025
समाज के हर वर्ग और हर क्षेत्र के लोग इस महाकुंभ में एक हो गए। ये एक भारत श्रेष्ठ भारत का चिर स्मरणीय दृश्य करोड़ों देशवासियों में आत्मविश्वास के साक्षात्कार का महापर्व बन गया।
— Narendra Modi (@narendramodi) February 27, 2025
एकता के महाकुंभ को सफल बनाने के लिए देशवासियों के परिश्रम, उनके प्रयास, उनके संकल्प से अभीभूत मैं द्वादश ज्योतिर्लिंग में से प्रथम ज्योतिर्लिंग, श्री सोमनाथ के दर्शन करने जाऊंगा। मैं श्रद्धा रूपी संकल्प पुष्प को समर्पित करते हुए हर भारतीय के लिए प्रार्थना करूंगा। मैं कामना करूंगा…
— Narendra Modi (@narendramodi) February 27, 2025