Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મણિપુરના નોની જિલ્લામાં બસ દુર્ઘટનામાં જાનહાનિથી પ્રધાનમંત્રી શ્રી દુઃખી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના નોની જિલ્લામાં એક દુ:ખદ બસ અકસ્માતમાં થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી શ્રીએ એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી હતી. મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને બસ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂ. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF) માંથી આપવામાં આવશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

 “મણિપુરના નોની જિલ્લામાં એક દુ:ખદ બસ અકસ્માતને કારણે થયેલા જાનહાનિથી દુઃખી છું. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય. મણિપુર સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે: PM @narendramodi”

 “PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા બસ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi”

YP/GP/JD