પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે 13 નવી કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોનાં રિકરીંગ ખર્ચ પેટે તથા સંકુલોની કામગીરી પૂર્ણ કરવા જરૂરી માળખાગત સુવિધાઓ ઉભી કરવા માટે રૂ. 3639.32 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. આ કામગીરી 36 માસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે.
મંત્રીમંડળે આ વિશ્વવિદ્યાલયો માટે પૂર્વવર્તી અસરથી અગાઉની મંત્રીમંડળ બેઠકની મંજૂરી મુજબના રૂ. 1474.65 કરોડ ઉપરાંત ખર્ચાયેલા વધારાના રૂ. 3,000 કરોડ માટે પણ મંજૂરી આપી છે.
આ નવા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો બિહાર, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર (બે), ઝારખંડ, કર્ણાટક, કેરાલા, ઓડિશા, પંજાબ, રાજસ્થાન અને તમિલનાડુમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અધિનિયમ 2009 હેઠળ સ્થાપવામાં આવશે. જેમાં નીચેના વિશ્વવિદ્યાલયોનો સમાવેશ થશેઃ
અસરઃ
આ જોગવાઈથી ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિમાં વધારો થશે અને અન્ય વિશ્વવિદ્યાલયો અનુસરી શકે તેવા નમૂનારૂપ ધોરણો પ્રસ્થાપિત થશે. તેનાથી શૈક્ષણિક સુવિધાઓ અંગે પ્રાદેશિક અસમતુલા ઘટાડવામાં પણ મદદ મળશે.
RP