પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત રાષ્ટ્રીય આયુષ મિશનને 01 એપ્રિલ, 2017 થી 31 માર્ચ, 2020 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. તેનાં પર ત્રણ વર્ષનાં ગાળા દરમિયાન રૂ. 2400 કરોડનો ખર્ચ કરવામાં આવશે. મિશનની શરૂઆત સપ્ટેમ્બર, 2014માં થઈ હતી.
મિશનની ખાસિયતોઃ
રાષ્ટ્રીય આયુષ મિશનનો અમલ આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ સસ્તી આયુષ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે, જે તમામની પહોંચમાં હોય. તેની અન્ય ખાસિયતો આ પ્રકારે છેઃ
રાષ્ટ્રીય આયુષ મિશન દેશમાં અને ખાસ કરીને પછાત અને અંતરિયાળ વિસ્તારોમાં આયુષ આરોગ્ય સેવાઓ/શિક્ષણ ઉપલબ્ધ કરાવીને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકારોનાં પ્રયાસોને સમર્થન આપી રહ્યાં છે, જેથી આરોગ્ય સેવાઓનાં અવરોધને દૂર કરી શકાય. મિશન અંતર્ગત આ ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ઉપરાંત વાર્ષિક યોજનાઓ માટે વધારાનાં સંસાધનો પૂરાં કરવા માટેની જોગવાઈ પણ કરવામાં આવે છે.
મિશનનાં સંભવિત પરિણામ આ પ્રકારનાં છેઃ
પૃષ્ઠભૂમિઃ
રાષ્ટ્રીય આયુષ મિશનનો ઉદ્દેશ આયુર્વેદ, સિદ્ધ, યુનાની અને હોમિયોપેથી જેવા પ્રાચીન ભારતીય ચિકિત્સા વારસાને મજબૂત કરવાનો છે. આ સ્વાસ્થ્ય સુવિધાનાં ક્ષેત્રમાં અપાર જ્ઞાનનો ભંડાર છે. ભારતીય ઔષધિ વ્યવસ્થાઓની આ વિશેષતા એ છે કે તે તમામની પહોંચમાં છે, તેમાં વિવિધતા છે, આ દવાઓ સસ્તી છે તથા સામાન્ય જનતાનાં મોટા વર્ગમાં તેની સ્વીકૃતિ છે. તુલનાત્મક સ્વરૂપે આ દવાઓ ઓછી ખર્ચાળ છે અને દેશવાસીઓનાં એક મોટા વર્ગની સ્વાસ્થ્યની જરૂરિયાતો પૂર્ણ કરવામાં સક્ષમ છે.
GP