ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક ઇટલીના મંત્રીમંડળના પ્રમુખ મહામહિમ મારિયો દ્રાધીએ 30-31 ઓક્ટોબર, 2021ના રોજ રોમમાં ઇટલી દ્વારા આયોજિત જી20 લીડર્સના શિખર સંમેલનની સાથે-સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
બંને નેતાઓએ 6 નવેમ્બર, 2020ના રોજ ભારત અને ઇટલી વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવાની કાર્યયોજના (2020-2024)નો સ્વીકાર કર્યા પછી આ દિશામાં થયેલી નોંધપાત્ર પ્રગતિને બિરદાવી હતી. તેમણે કાર્યયોજના દ્વારા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સાથસહકારને વધારવાનાં તેમના સંકલ્પને વ્યક્ત કર્યો હતો, જેમાં આબોહવામાં પરિવર્તનનો સામનો કરવા સ્વચ્છ ઊર્જા તરફ અગ્રેસર થવા વિવિધ સમસ્યાઓનું ઝડપથી સમાધાન કરવાની બાબત સામેલ છે, જે રોમમાં જી20 લીડર્સના શિખર સંમેલન અને ગ્લાસગૉમાં સીઓપી 26નું હાર્દ છે.
તેમણે 8 મે, 2021ના રોજ પોર્ટોમાં યોજાયેલી ભારતીય-યુરોપિયન યુનિયન (ઇયુ) નેતાઓની બેઠકને પણ યાદ કરી હતી, જેમાં યુરોપિયન યુનિયન અને ભારતના પ્રતિનિધિઓએ આબોહવામાં પરિવર્તન, જૈવવિવિધતાને નુકસાન અને પ્રદૂષણના આંતરનિર્ભર પડકારોનું સમાધાન ઝડપથી કરવા પર ભાર મૂક્યો હતો તથા પુનઃપ્રાપ્ય ઊર્જાની સ્થાપનાને વેગ આપવા માટે સાથસહકારને ગાઢ બનાવવા સંમત થયા હતા, જેમાં ઓફશોર પવન ઊર્જા જેવી પુનઃપ્રાપ્ય ઊર્જાની નવીન ટેકનોલોજીઓની સ્થાપના તેમજ ગ્રીન હાઇડ્રોજનની સંભાવનાની ચકાસમી, ઊર્જા અસરકારકતાને પ્રોત્સાહન, સ્માર્ટ ગ્રિડ્સ અને ઊર્જાના સંગ્રહ માટેની ટેકનોલોજીઓની સ્થાપના, ઇલેક્ટ્રિસિટી બજારનું આધુનિકીકરણ સામેલ છે.
આ ઉપરાંત બંને દેશો પર્યાવરણને અનુકૂળ ઊર્જાના માધ્યમોને મુખ્ય અસ્કયામત ગણીને તેમની વીજ વ્યવસ્થાઓમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના વધતા હિસ્સાનું વાજબી ખર્ચે સંકલન કરવાની પ્રક્રિયાને સર્વોચ્ચ મહત્વ આપવા સંમત થયા હતા, જેનાથી રોજગારીનું સર્જન થશે, જીડીપીમાં વૃદ્ધિ થશે, તમામને ઊર્જા ઉપલબ્ધ થશે તેમજ ઊર્જાની ખેંચ દૂર થશે.
આ સંબંધમાં બંને પ્રધાનમંત્રીઓએ ભારતના વર્ષ 2030 સુધીમાં 450 ગિગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનના લક્ષ્યાંકની પ્રશંસા કરી હતી તેમજ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનને ઇટલીના ત્વરિત સાથસહકાર અને મંજૂરી તથા ઊર્જાના માધ્યમોમાં પરિવર્તનમાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરવા સંમતિને બિરદાવી હતી.
આ જોડાણ હાલ દ્વિપક્ષીય વ્યવસ્થા પર આધારિત હોઈ શકે છે, જેમાં ઇટલીના ઇકોલોજિકલ વ્યવસ્થામાં પરિવર્તન મંત્રાલય અને ભારતના નવી અને પુનઃપ્રાપ્તિ ઊર્જા મંત્રાલય, વીજ મંત્રાલય અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયો વચ્ચે પુનઃપ્રાપ્ય ઊર્જા અને પર્યાવરણને અનુકૂળ વિકાસ પર સાથસહકારને નવો વેગ આપવાની બાબતો સામેલ છે.
ભારત અને ઇટલી તેમના ઊર્જાના માધ્યમોમાં પરિવર્તનના ક્ષેત્રમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે નીચેની કામગીરીઓ કરશેઃ