Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 7 ઓક્ટોબરના રોજ PM CARES હેઠળ સ્થાપિત પીએસએ ઓક્સિજન પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11 વાગ્યે AIIMS ઋષિકેશ, ઉત્તરાખંડમાં યોજાનારા કાર્યક્રમમાં 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં PM CARES હેઠળ સ્થાપિત 35 પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન (PSA) ઓક્સિજન પ્લાન્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે.  આ સાથે, દેશના તમામ જિલ્લાઓમાં હવે PSA ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.

અત્યાર સુધીમાં, સમગ્ર દેશમાં PM CARES હેઠળ કુલ 1224 PSA ઓક્સિજન પ્લાન્ટ્સને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, જેમાંથી 1100થી વધુ પ્લાન્ટ્સ કાર્યરત થયા છે, જે પ્રતિદિન 1750 MT ઓક્સિજનનું ઉત્પાદન પૂરું પાડે છે. કોવિડ –19 રોગચાળાના આગમનથી ભારતની મેડિકલ ઓક્સિજન પેદા કરવાની ક્ષમતા વધારવા માટે સરકાર દ્વારા લેવાયેલા સક્રિય પગલાંનું તે પ્રમાણ છે.

ડુંગરાળ વિસ્તારો, ટાપુઓ અને મુશ્કેલ ભૂપ્રદેશ ધરાવતા પ્રદેશોના જટિલ પડકારોનો સામનો કરતી વખતે દેશના દરેક જિલ્લામાં PSA ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકાયો હતો.

7,000થી વધુ કર્મચારીઓને તાલીમ આપીને આ પ્લાન્ટ્સનું સંચાલન અને જાળવણી સુનિશ્ચિત કરવામાં આવી છે. તેઓ એકીકૃત વેબ પોર્ટલ દ્વારા તેમની કામગીરી અને પ્રદર્શનની વાસ્તવિક સમયની દેખરેખ માટે એમ્બેડેડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ઉપકરણ સાથે આવે છે.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com