પ્રધાનમંત્રીએ આજે મહારાષ્ટ્રનાં નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે પવિત્ર નવરાત્રી મહોત્સવની શરૂઆતની સાથે સાથે ચૈત્ર શુક્લ પ્રતિપદાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, અત્યારે દેશભરમાં ગુડી પડવા, ઉગાદી અને નવરેહ જેવા તહેવારોની ઉજવણી થઈ રહી છે. તેમણે આ દિવસના મહત્વ પર ભાર મૂક્યો કારણ કે તે ભગવાન ઝુલેલાલ અને ગુરુ અંગદ દેવની જન્મજયંતી સાથે સુમેળ ખાય છે. તેમણે આ પ્રસંગને પ્રેરણાદાયી ડૉ. કે. બી. હેડગેવારની જન્મજયંતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ઝળહળતી યાત્રાના શતાબ્દી વર્ષ તરીકે પણ સ્વીકાર્યો હતો. તેમણે આ મહત્વપૂર્ણ દિવસે ડો. હેડગેવાર અને શ્રી ગોલવલકર ગુરુજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મૃતિ મંદિરની મુલાકાત લઈને આદર વ્યક્ત કર્યો હતો.
આ સમયગાળા દરમિયાન ભારતીય બંધારણના 75 વર્ષ અને તેના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની આગામી જન્મ જયંતીની ઉજવણીનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ દીક્ષાભૂમિમાં ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેમના આશીર્વાદ મેળવવા પર ટિપ્પણી કરી હતી. તેમણે નાગરિકોને નવરાત્રી અને અન્ય તમામ તહેવારોની ઉજવણી પર શુભેચ્છાઓ પાઠવી હતી.
નાગપુરને સેવાના પવિત્ર કેન્દ્ર તરીકેના મહત્વ પર ભાર મૂકીને અને એક ઉમદા પહેલના વિસ્તરણને સ્વીકારીને શ્રી મોદીએ માધવ નેત્રાલયના પ્રેરણાદાયી ગીત પર ટિપ્પણી કરી હતી, જે આધ્યાત્મિકતા, જ્ઞાન, ગૌરવ અને માનવતાનું પ્રતિબિંબ પાડે છે. તેમણે માધવ નેત્રાલયને એક એવી સંસ્થા તરીકે પ્રકાશિત કર્યો હતો, જે પૂજ્ય ગુરુજીના આદર્શોને અનુસરીને દાયકાઓથી લાખો લોકોની સેવા કરી રહી છે અને અસંખ્ય જીવનમાં પ્રકાશ પુનઃસ્થાપિત કરી રહી છે.
તેમણે માધવ નેત્રાલયના નવા પરિસરના શિલાન્યાસની નોંધ લીધી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ વિસ્તરણથી તેની સેવાકીય પ્રવૃત્તિઓને વેગ મળશે, હજારો નવા જીવનમાં પ્રકાશ આવશે અને તેમના જીવનમાંથી અંધકાર દૂર થશે. તેમણે માધવ નેત્રાલય સાથે સંકળાયેલા દરેક વ્યક્તિના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તેમની સેવા ચાલુ રાખવા બદલ શુભેચ્છા પાઠવી હતી.
લાલ કિલ્લા પરથી ‘સબકે પ્રયાસ‘ પર ભાર મૂકવામાં આવ્યો છે અને હેલ્થકેર ક્ષેત્રમાં દેશ દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, માધવ નેત્રાલય આ પ્રયાસોમાં પૂરક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સરકારની પ્રાથમિકતા તમામ નાગરિકો માટે વધુ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવાની છે, ગરીબમાં ગરીબ લોકોને પણ શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર મળવી જોઈએ.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ નાગરિકને જીવનની ગરિમાથી વંચિત ન રહેવું જોઈએ અને જે વરિષ્ઠ નાગરિકોએ પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું છે, તેમણે તબીબી સારવારની ચિંતામાં ન રહેવું જોઈએ. તેમણે આયુષ્માન ભારતની અસર પર પ્રકાશ પાડ્યો હતો, જેણે લાખો લોકોને નિઃશુલ્ક સારવાર પ્રદાન કરી છે. શ્રી મોદીએ દેશભરમાં હજારો જન ઔષધિ કેન્દ્રોની નોંધ પણ લીધી હતી, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પરવડે તેવી દવાઓ ઓફર કરે છે, જેનાથી નાગરિકોને હજારો કરોડ રૂપિયાની બચત થાય છે. તેમણે છેલ્લાં એક દાયકામાં ગામડાઓમાં લાખો આયુષ્માન આરોગ્ય મંદિરોની સ્થાપના, લોકોને ટેલિમેડિસિન મારફતે પ્રાથમિક સ્વાસ્થ્ય સારસંભાળ પ્રદાન કરવા વિશે ટિપ્પણી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સુવિધાઓથી નાગરિકોને તબીબી પરીક્ષણો માટે સેંકડો કિલોમીટરની મુસાફરી કરવાની જરૂરિયાત દૂર થઈ છે.
દેશમાં મેડિકલ કોલેજોને બમણી કરવા અને કાર્યરત એઈમ્સની સંસ્થાઓને ત્રણ ગણી કરવા પર ભાર મૂકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં લોકોની સેવા કરવા માટે વધારે કુશળ ડૉક્ટર્સ ઉપલબ્ધ થાય એ સુનિશ્ચિત કરવા માટે મેડિકલમાં બેઠકોની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે. તેમણે વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં તબીબી અભ્યાસ કરવાની તકો પૂરી પાડવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો હતો, જેથી તેઓ ડૉક્ટર બની શકે. તેમણે નોંધ્યું હતું કે, આધુનિક તબીબી વિજ્ઞાનમાં પ્રગતિની સાથે–સાથે દેશ તેના પરંપરાગત જ્ઞાનને પણ પ્રોત્સાહન આપી રહ્યો છે. તેમણે ભારતના યોગ અને આયુર્વેદ દ્વારા પ્રાપ્ત થઈ રહેલી વૈશ્વિક માન્યતા પર ટિપ્પણી કરી હતી, જે વૈશ્વિક મંચ પર દેશનું ગૌરવ વધારી રહ્યા છે.
કોઈ પણ રાષ્ટ્રનું અસ્તિત્વ તેની સંસ્કૃતિ અને ચેતનાના વિસ્તરણ પર આધારિત છે તેનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ભારતની સદીઓની ગુલામી અને આક્રમણોના ઈતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો, જેણે તેના સામાજિક માળખાને નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં ભારતની ચેતના જીવંત અને સ્થિતિસ્થાપક રહી હતી. તેમણે ભક્તિ ચળવળને ઉદાહરણ તરીકે ટાંકીને જણાવ્યું હતું કે, “સૌથી મુશ્કેલ સમયમાં પણ, ભારતમાં નવી સામાજિક ચળવળોએ આ ચેતનાને જાગૃત રાખી હતી.” તેમણે ભક્તિ ચળવળને ઉદાહરણ તરીકે ટાંકીને ભાર મૂક્યો હતો, જેમાં ગુરુ નાનક દેવ, કબીર દાસ, તુલસીદાસ, સુરદાસ અને મહારાષ્ટ્રના સંત તુકારામ, સંત એકનાથ, સંત નામદેવ અને સંત જ્ઞાનેશ્વર જેવા સંતોએ તેમના મૂળ વિચારો સાથે ભારતની રાષ્ટ્રીય ચેતનામાં જીવનને રેડ્યું હતું. તેમણે ટિપ્પણી કરી હતી કે આ આંદોલનોએ ભેદભાવની સાંકળો તોડી નાખી હતી અને સમાજને સંગઠિત કર્યો હતો. નિરાશ થઈ ગયેલા સમાજને હચમચાવનાર સ્વામી વિવેકાનંદના યોગદાન પર ભાર મૂકીને તેમને તેના સાચા સારની યાદ અપાવી, આત્મવિશ્વાસનું સિંચન કર્યું અને ભારતની રાષ્ટ્રીય ચેતના નિર્વિધ્ન બની રહે તે સુનિશ્ચિત કર્યું. પ્રધાનમંત્રીએ સંસ્થાનવાદી શાસનના અંતિમ દાયકાઓ દરમિયાન આ ચેતનાને ઊર્જાવાન બનાવવામાં ડૉ. હેડગેવાર અને ગુરુજીની ભૂમિકાની નોંધ લીધી હતી. રાષ્ટ્રીય ચેતનાના જતન અને સંવર્ધન માટે 100 વર્ષ પહેલાં વાવેલા વિચારના બીજ વિશે તેમણે ટિપ્પણી કરી હતી, જે હવે એક મહાન વૃક્ષ બની ગયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સિદ્ધાંતો અને આદર્શો આ મહાન વૃક્ષને ઊંચાઈ પ્રદાન કરે છે, જેમાં લાખો સ્વયંસેવકો તેની શાખાઓ છે. તેમણે ઉમેર્યું હતું કે, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતની અમર સંસ્કૃતિનો આધુનિક અક્ષય વટ છે, આ અક્ષય વટ સતત ભારતીય સંસ્કૃતિ અને આપણા રાષ્ટ્રની ચેતનાને ઊર્જાવાન બનાવી રહ્યો છે.”
માધવ નેત્રાલયના નવા પરિસરની યાત્રા શરૂ થઈ રહી છે ત્યારે દ્રષ્ટિ અને દિશા વચ્ચેના કુદરતી જોડાણનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ વૈદિક મહત્વાકાંક્ષા “પશ્યિમા શારદાહ શતમ“ને ટાંકીને જીવનમાં વિઝનના મહત્વ પર ભાર મૂક્યો હતો, જેનો અર્થ થાય છે, “આપણે સો વર્ષ સુધી જોઈ શકીએ.” તેમણે બાહ્ય વિઝન અને આંતરિક વિઝન એમ બંનેનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. વિદર્ભના મહાન સંત શ્રી ગુલાબરાવ મહારાજને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “નાની ઉંમરે જ પોતાની દૃષ્ટિ ગુમાવી હોવા છતાં શ્રી ગુલાબરાવ મહારાજે અનેક પુસ્તકો લખ્યાં છે.” તેમણે નોંધ્યું હતું કે જ્યારે તેમનામાં શારીરિક દૃષ્ટિનો અભાવ હતો, ત્યારે તેમની પાસે ગહન દ્રષ્ટિ હતી, જે શાણપણમાંથી ઉદ્ભવે છે અને સમજણ દ્વારા પ્રગટ થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારનું વિઝન વ્યક્તિઓ અને સમાજ એમ બંનેને સશક્ત બનાવે છે. તેમણે ટિપ્પણી કરી કે આરએસએસ એ બાહ્ય અને આંતરિક દ્રષ્ટિ બંને તરફ કામ કરવાનો એક પવિત્ર પ્રયાસ છે. તેમણે માધવ નેત્રાલયને બાહ્ય દ્રષ્ટિના ઉદાહરણ તરીકે પ્રકાશિત કર્યા અને નોંધ્યું કે આંતરિક દ્રષ્ટિએ સંઘને સેવાનો પર્યાય બનાવ્યો છે.
પ્રધાનમંત્રીએ ધર્મગ્રંથોને ટાંકીને એ વાત પર ભાર મૂક્યો હતો કે, જીવનનો હેતુ સેવા અને પરોપકાર છે. તેમણે નોંધ્યું હતું કે, જ્યારે સેવા મૂલ્યોમાં વણાઈ જાય છે, ત્યારે તે ભક્તિના સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય છે, જે આરએસએસના દરેક સ્વયંસેવકના જીવનનો સાર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સેવાની આ ભાવના સ્વયંસેવકોની પેઢીઓને પોતાને અવિરતપણે સમર્પિત કરવા માટે પ્રેરિત કરે છે. તેમણે નોંધ્યું હતું કે, આ નિષ્ઠા સ્વયંસેવકોને સતત સક્રિય રાખે છે, તેમને ક્યારેય થાકવા કે અટકવા દેતી નથી. ગુરુજીના એ શબ્દોને યાદ કરીને કે જીવનનું મહત્વ તેના સમયગાળામાં નહીં પરંતુ તેની ઉપયોગિતામાં રહેલું છે, શ્રી મોદીએ “દેવથી દેશ” અને “રામથી રાષ્ટ્ર” ના સિદ્ધાંતો દ્વારા સંચાલિત, ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે સરહદી ગામડાંઓ, પર્વતીય પ્રદેશો કે વન વિસ્તારોમાં વિવિધ ક્ષેત્રોમાં સ્વયંસેવકોનાં નિઃસ્વાર્થ કાર્યો પર ટિપ્પણી કરી હતી. તેમણે વનવાસી કલ્યાણ આશ્રમો, આદિવાસી બાળકો માટે એકલ વિદ્યાલય, સાંસ્કૃતિક જાગૃતિ અભિયાનો અને વંચિતોની સેવા માટે સેવા ભારતીના પ્રયાસો જેવી પહેલોમાં તેમની સામેલગીરી પર પ્રકાશ પાડ્યો હતો. પ્રયાગ મહાકુંભ દરમિયાન સ્વયંસેવકોના અનુકરણીય કાર્યની પ્રશંસા કરતા, જ્યાં તેઓએ નેત્ર કુંભ પહેલ દ્વારા લાખો લોકોને સહાય કરી હતી, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યાં પણ સેવાની જરૂર છે, ત્યાં સ્વયંસેવકો હાજર છે. તેમણે પૂર અને ધરતીકંપ જેવી આપત્તિઓ દરમિયાન સ્વયંસેવકોના શિસ્તબદ્ધ પ્રતિસાદ પર ટિપ્પણી કરી હતી, જેમાં તેમની નિઃસ્વાર્થતા અને સેવા પ્રત્યેની સમર્પણતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ટાંક્યું હતું કે, “સેવા એ બલિદાનની આગ છે, અને આપણે અર્પણની જેમ પ્રગટીએ છીએ અને હેતુના સમુદ્રમાં ભળી જઈએ છીએ.”
એક પ્રેરક કથા રજૂ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, એક વખત ગુરુજીને પૂછવામાં આવ્યું હતું કે તમે સંઘને સર્વવ્યાપી શા માટે ઓળખાવો છો. ત્યારે ગુરુજીએ સંઘની તુલના પ્રકાશ સાથે કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રકાશ ભલે દરેક કાર્ય પોતે ન કરે, પરંતુ તે અંધકારને દૂર કરે છે અને અન્યોને આગળનો માર્ગ બતાવે છે. તેમણે નોંધ્યું હતું કે, ગુરુજીનો ઉપદેશ જીવન મંત્રનું કામ કરે છે, જે દરેકને પ્રકાશનું સ્ત્રોત બનવા, અવરોધો દૂર કરવા અને પ્રગતિનો માર્ગ મોકળો કરવા અપીલ કરે છે. તેમણે નિઃસ્વાર્થતાના હાર્દને “હું નહીં, પણ તમે” અને “મારું નહીં, પણ રાષ્ટ્ર માટે” સિદ્ધાંતો સાથે પ્રકાશ પાડ્યો હતો.
“હું“ને બદલે “અમે“ને પ્રાથમિકતા આપવાનાં મહત્ત્વ પર ભાર મૂકીને તથા તમામ નીતિઓ અને નિર્ણયોમાં દેશને પ્રથમ સ્થાને મૂકવાનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રકારનાં અભિગમથી સમગ્ર દેશમાં સકારાત્મક અસરો જોવા મળે છે. તેમણે સંસ્થાનવાદી માનસિકતાથી આગળ વધવાનાં મહત્ત્વ પર ભાર મૂકીને દેશને પાછળ રાખી દેનારી સાંકળો તોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, ભારત હવે સંસ્થાનવાદનાં અવશેષોનું સ્થાન લઈ રહ્યું છે, જે 70 વર્ષ સુધી લઘુતાગ્રંથિ સાથે ચાલ્યું હતું, જેમાં રાષ્ટ્રીય ગૌરવનાં નવાં પ્રકરણો સામેલ છે. તેમણે ભારતીયોને બદનામ કરવા માટે રચાયેલા જૂના બ્રિટિશ કાયદાઓને નવા ભારતીય ન્યાય સંહિતા સાથે બદલવા અંગે ટિપ્પણી કરી. તેમણે રાજપથને કર્તવ્ય પથમાં પરિવર્તિત કરવા પર પ્રકાશ પાડ્યો હતો, જે સંસ્થાનવાદી વારસા પરની ફરજનું પ્રતીક છે. તેમણે નૌકાદળના ધ્વજમાંથી સંસ્થાનવાદી પ્રતીકો દૂર કરવાની બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં હવે ગર્વભેર છત્રપતિ શિવાજી મહારાજનું પ્રતીક છે. વધુમાં તેમણે આંદામાન ક્ષેત્રમાં ટાપુઓના નામ બદલવાની વાતનો પણ સ્વીકાર કર્યો હતો, જ્યાં વીર સાવરકરે દેશ માટે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને નેતાજી સુભાષચંદ્ર બોઝે ભારતની સ્વતંત્રતાના નાયકોનું સન્માન કરવા માટે સ્વતંત્રતાનું બ્યુગલ વગાડ્યું હતું.
“વસુધૈવ કુટુમ્બકમ“નો ભારતનો માર્ગદર્શક સિદ્ધાંત વિશ્વના દરેક ખૂણે પહોંચી રહ્યો છે અને તે ભારતના કાર્યોમાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે.” શ્રી મોદીએ કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારતના પ્રયાસો પર પ્રકાશ પાડતા, એક પરિવાર તરીકે વિશ્વને રસી પ્રદાન કરવા બદલ કહ્યું હતું. તેમણે કુદરતી આપત્તિઓ સામે ભારતની ત્વરિત પ્રતિક્રિયાની નોંધ લીધી હતી, જેમાં “ઓપરેશન બ્રહ્મા” હેઠળ મ્યાનમારમાં તાજેતરમાં આવેલા ધરતીકંપ તેમજ તુર્કિયે અને નેપાળમાં ધરતીકંપ દરમિયાન થયેલી સહાય અને માલદીવમાં જળ કટોકટીનો સમાવેશ થાય છે. તેમણે સંઘર્ષો દરમિયાન અન્ય દેશોના નાગરિકોને બહાર કાઢવામાં ભારતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને નોંધ્યું હતું કે, ભારતની પ્રગતિ ગ્લોબલ સાઉથનો અવાજ વધારી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, વૈશ્વિક બંધુત્વની આ ભાવના ભારતનાં સાંસ્કૃતિક મૂલ્યોમાંથી છે. આત્મવિશ્વાસથી ભરેલી અને જોખમ લેવાની ક્ષમતાવધારીને ભારતની યુવા પેઢીને રાષ્ટ્રની સૌથી મોટી અસ્કયામત ગણાવતા શ્રી મોદીએ નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને ભારતના વારસા અને સંસ્કૃતિમાં તેમના ગૌરવની નોંધ લીધી હતી. તેમણે પ્રયાગ મહાકુંભમાં લાખો યુવાનોની ભાગીદારીને ભારતની સનાતન પરંપરાઓ સાથે તેમના જોડાણનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે યુવાનોના રાષ્ટ્રીય જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવા, “મેક ઇન ઇન્ડિયા“ની સફળતામાં તેમની ભૂમિકા અને સ્થાનિક ઉત્પાદનો માટે તેમના અવાજના સમર્થન પર ટિપ્પણી કરી હતી. તેમણે રાષ્ટ્રનિર્માણની ભાવનાથી પ્રેરિત રમતગમતનાં ક્ષેત્રોથી લઈને અવકાશ સંશોધન સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દેશ માટે જીવન જીવવા અને કામ કરવાની તેમની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારતની યુવા પેઢી વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં લક્ષ્યાંક તરફ દેશને દોરી જશે. પ્રધાનમંત્રીએ આ યાત્રા પાછળ પ્રેરક બળ તરીકે સંસ્થા, સમર્પણ અને સેવાનાં સમન્વય પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ટિપ્પણી કરી હતી કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નાં દાયકાઓનાં પ્રયાસો અને સમર્પણનાં ફળ મળી રહ્યાં છે અને તેમણે ભારતનાં વિકાસમાં એક નવો અધ્યાય લખ્યો છે.
પ્રધાનમંત્રીએ વર્ષ 1925માં આરએસએસની સ્થાપના દરમિયાન વિરોધાભાસી પરિસ્થિતિઓ પર ટિપ્પણી કરી હતી, જે સમય સંઘર્ષ અને સ્વતંત્રતાનાં મહત્ત્વપૂર્ણ લક્ષ્યાંક દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો હતો. તેમણે સંઘની 100 વર્ષની સફરના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે, વર્ષ 2025થી 2047 સુધીનો સમયગાળો રાષ્ટ્ર માટે નવા, મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકો પ્રસ્તુત કરે છે. તેમણે એક પત્રમાંથી ગુરુજીના પ્રેરણાદાયી શબ્દોને યાદ કર્યા હતા, જેમાં એક ભવ્ય રાષ્ટ્રીય ઇમારતના પાયામાં એક નાનો પથ્થર બનવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રજ્વલિત રાખવાની, અવિરત પ્રયાસરત રાખવા અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ દરમિયાન શેર કરેલા તેમના વિઝનનો પુનરોચ્ચાર કર્યો, જે આગામી હજાર વર્ષ માટે મજબૂત ભારતનો પાયો નાખવાનો છે.
પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ડૉ. હેડગેવાર અને ગુરુજી જેવા મહાનુભાવોનું માર્ગદર્શન દેશને સશક્ત બનાવવાનું ચાલુ રાખશે. તેમણે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અને પેઢીઓના બલિદાનને માન આપવાના સંકલ્પની પુષ્ટિ કરીને સમાપન કર્યું હતું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી, આરએસએસના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત, સ્વામી ગોવિંદ દેવગિરિ મહારાજ, સ્વામી અવધેશાનંદ ગિરિ મહારાજ, ડૉ. અવિનાશ ચંદ્ર અગ્નિહોત્રી અને અન્ય વિશિષ્ટ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Speaking at the foundation stone laying ceremony of Madhav Netralaya Premium Centre in Nagpur. https://t.co/tqtHmqfug9
— Narendra Modi (@narendramodi) March 30, 2025
देश के सभी नागरिकों को बेहतर स्वास्थ्य सुविधाएं मिलें, ये हमारी प्राथमिकता है: PM @narendramodi pic.twitter.com/D75trbp404
— PMO India (@PMOIndia) March 30, 2025
कठिन से कठिन दौर में भी भारत में चेतना को जागृत रखने वाले नए-नए सामाजिक आंदोलन होते रहे। pic.twitter.com/q1nYPJe0P2
— PMO India (@PMOIndia) March 30, 2025
राष्ट्रीय स्वयंसेवक संघ भारत की अमर संस्कृति का आधुनिक अक्षय वट है।
ये अक्षय वट आज भारतीय संस्कृति को…हमारे राष्ट्र की चेतना को निरंतर ऊर्जावान बना रहा है: PM @narendramodi pic.twitter.com/sPhohB1nSu
— PMO India (@PMOIndia) March 30, 2025
जब प्रयासों के दौरान मैं नहीं हम का ध्यान होता है…
जब राष्ट्र प्रथम की भावना सर्वोपरि होती है…
जब नीतियों में, निर्णयों में देश के लोगों का हित ही सबसे बड़ा होता है…
तो सर्वत्र उसका प्रभाव भी नजर आता है: PM @narendramodi pic.twitter.com/Vo10bHfDN8
— PMO India (@PMOIndia) March 30, 2025
दुनिया में कहीं भी प्राकृतिक आपदा हो, भारत पूरे मनोयोग से सेवा के लिए खड़ा होता है: PM @narendramodi pic.twitter.com/xfodqIYSMK
— PMO India (@PMOIndia) March 30, 2025
राष्ट्र निर्माण की भावना से ओतप्रोत हमारे युवा आगे बढ़े चले जा रहे हैं… यही युवा 2047 के विकसित भारत के लक्ष्य की ध्वजा थामे हुए हैं: PM @narendramodi pic.twitter.com/yJ0XodCYek
— PMO India (@PMOIndia) March 30, 2025
AP/IJ/GP/JD
Speaking at the foundation stone laying ceremony of Madhav Netralaya Premium Centre in Nagpur. https://t.co/tqtHmqfug9
— Narendra Modi (@narendramodi) March 30, 2025
देश के सभी नागरिकों को बेहतर स्वास्थ्य सुविधाएं मिलें, ये हमारी प्राथमिकता है: PM @narendramodi pic.twitter.com/D75trbp404
— PMO India (@PMOIndia) March 30, 2025
कठिन से कठिन दौर में भी भारत में चेतना को जागृत रखने वाले नए-नए सामाजिक आंदोलन होते रहे। pic.twitter.com/q1nYPJe0P2
— PMO India (@PMOIndia) March 30, 2025
राष्ट्रीय स्वयंसेवक संघ भारत की अमर संस्कृति का आधुनिक अक्षय वट है।
— PMO India (@PMOIndia) March 30, 2025
ये अक्षय वट आज भारतीय संस्कृति को...हमारे राष्ट्र की चेतना को निरंतर ऊर्जावान बना रहा है: PM @narendramodi pic.twitter.com/sPhohB1nSu
जब प्रयासों के दौरान मैं नहीं हम का ध्यान होता है...
— PMO India (@PMOIndia) March 30, 2025
जब राष्ट्र प्रथम की भावना सर्वोपरि होती है...
जब नीतियों में, निर्णयों में देश के लोगों का हित ही सबसे बड़ा होता है...
तो सर्वत्र उसका प्रभाव भी नजर आता है: PM @narendramodi pic.twitter.com/Vo10bHfDN8
दुनिया में कहीं भी प्राकृतिक आपदा हो, भारत पूरे मनोयोग से सेवा के लिए खड़ा होता है: PM @narendramodi pic.twitter.com/xfodqIYSMK
— PMO India (@PMOIndia) March 30, 2025
राष्ट्र निर्माण की भावना से ओतप्रोत हमारे युवा आगे बढ़े चले जा रहे हैं... यही युवा 2047 के विकसित भारत के लक्ष्य की ध्वजा थामे हुए हैं: PM @narendramodi pic.twitter.com/yJ0XodCYek
— PMO India (@PMOIndia) March 30, 2025
नागपुर का माधव नेत्रालय लोगों को सस्ता और विश्वस्तरीय नेत्र उपचार देने में पूरे समर्पण भाव से जुटा है, यह मेरे लिए अत्यंत संतोष की बात है। pic.twitter.com/y0YWYgl8VK
— Narendra Modi (@narendramodi) March 30, 2025
देशवासियों को बेहतर स्वास्थ्य सुविधाएं देना हमारी प्राथमिकता है। माधव नेत्रालय इस दिशा में अपना महत्वपूर्ण योगदान दे रहा है। pic.twitter.com/tE8fbOJIso
— Narendra Modi (@narendramodi) March 30, 2025
राष्ट्रीय स्वयंसेवक संघ भारत की अमर संस्कृति का आधुनिक अक्षय वट है। ये अक्षय वट आज भारतीय संस्कृति और हमारी राष्ट्रीय चेतना को निरंतर ऊर्जावान बना रहा है। pic.twitter.com/cZsgNEYiLs
— Narendra Modi (@narendramodi) March 30, 2025
राष्ट्रीय स्वयंसेवक संघ अन्तः दृष्टि और बाह्य दृष्टि, दोनों के लिए काम कर रहा है। बाह्य दृष्टि के रूप में हम माधव नेत्रालय को देखते हैं और अंत: दृष्टि ने संघ को सेवा का पर्याय बना दिया है। pic.twitter.com/9bXDdp6kha
— Narendra Modi (@narendramodi) March 30, 2025
सेवा है यज्ञकुन्ड...
— Narendra Modi (@narendramodi) March 30, 2025
समिधा सम हम जलें
ध्येय महासागर में...
सरित रूप हम मिलें। pic.twitter.com/VrXTvzpnIt
राष्ट्र प्रथम की भावना सर्वोपरि होने के साथ जब नीतियों और निर्णयों में देशवासियों का हित सबसे बड़ा होता है, तो सर्वत्र उसका प्रभाव भी नजर आता है। pic.twitter.com/MjyQ3gvPhM
— Narendra Modi (@narendramodi) March 30, 2025