Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ જમ્મુ અને કાશ્મીરના ડોડામાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના ડોડામાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીને રૂ 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

જમ્મુ અને કાશ્મીરના ડોડામાં બસ દુર્ઘટના દુઃખદ છે. જે પરિવારોએ તેમના નજીકના અને પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી સાજા થઈ જાય.

PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 રૂપિયા આપવામાં આવશે.

CB/GP/JD