Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચાર પર આઘાત વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઘેરો આઘાત વ્યક્ત કર્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે ભારત આ મુશ્કેલ ઘડીમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભું છે અને વિચારો અને પ્રાર્થનાઓ નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:

“ઇઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ ઘડીએ ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ.”

CB/GP/JD