પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો મેસેજ મારફતે ‘જતિર પિતા’ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી ઉજવણીમાં ભાગ લીધો હતો.
શ્રી મોદીએ શેખ મુજીબુર રહેમાનને વિતેલી સદીના સૌથી મહાન વિભૂતિ તરીકે ઓળખાવતાં જણાવ્યું હતું કે “આપણા માટે તેમનુ સમગ્ર જીવન ખૂબ જ પ્રેરણારૂપ છે.”
પ્રધાનમંત્રી મોદીએ બંગબંધુને એક સાહસિક પુરૂષ તથા શાંતિ દૂત તરીકે ઓળખાવતાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશના ‘જતિર પિતા’એ એ સમયના યુવાનોને દેશને મુક્ત કરવાનો પડકાર ઉપાડી લેવાની પ્રેરણા આપી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તમામ લોકશાહી મૂલ્યોની અવમાનના કરતા જુલમી અને ક્રૂર શાસકોએ બંગલા ભૂમિ ઉપર અન્યાયનુ શાસન ચલાવી લોકો પર હિંસા અને તારાજી ફેલાવી હતી તેની યાદ અપાવીને બંગબંધુએ કેવી રીતે પોતાના જીવનની દરેક ક્ષણ બાંગ્લાદેશને હિંસા ને અત્યાચારમાંથી બહાર લાવવા માટે તથા હકારાત્મક અને પ્રગતિશીલ સમાજની રચના માટે ખર્ચી નાખી હતી તેની યાદ અપાવી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બંગબંધુ અત્યંત સ્પષ્ટ હતા કે ધિક્કાર અને નકારાત્મકતા કોઈ દિવસ કોઈ દેશના વિકાસનો પાયો બની શકે નહી, પરંતુ બંગબંધુના વિચારો અને પ્રયાસો કેટલાક લોકોને પસંદ પડયા નહોતા અને તે લોકોએ આપણી પાસેથી તેમને છીનવી લીધા હતા.
શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “આપણે સૌએ જોયુ છે કે કેવી રીતે રાજકારણનાં આતંક અને હિંસાનાં સાધનો સમાજ માટે વિનાશ નોતરે છે. દુનિયા પણ જોઈ રહી છે કે આતંક અને હિંસાના ટેકેદારો હાલમાં ક્યાં છે અને કેવી સ્થિતિમાં છે, જ્યારે બાંગ્લાદેશ તો નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે.”
પ્રધાનમંત્રીએ એ બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો કે બંગલાદેશના લોકો દિવસ રાત સમર્પણ ભાવનાથી પોતાના રાષ્ટ્રને મુજીબુર રહેમાને જેની કલ્પના કરી હતી તેવા દેશ ‘સોનાર બંગલાનુ’ નિર્માણ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ બંગબંધુની પ્રેરણા મુજબ સમાવેશી અને વિકાસલક્ષી નીતિઓ વડે મહામહિમ શેખ હસીનાના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશની થઈ રહેલી પ્રગતીની પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશ અર્થતંત્ર હોય કે રમત-ગમતના કે અન્ય સામાજિક સ્થિતિ હોય દરેકમાં નવા સિમાચિન્હો સ્થાપિત કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કૌશલ્ય, શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તીકરણ અને માઈક્રો ફાઇનાન્સ જેવાં વિવિધ ક્ષેત્રોમાં બાંગ્લાદેશની અભૂતપૂર્વ પ્રગતિની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે “છેલ્લાં થોડાં વર્ષોમાં ભારત ને બાંગ્લાદેશે દ્વિપક્ષીય સંબંધોમાં એક સુવર્ણ પ્રકરણ આલેખ્યું છે અને બંને દેશો વચ્ચે જટિલ પ્રકારના સિમા વિવાદો મૈત્રીપૂર્ણ પદ્ધતિથી હલ કરવામાં વધેલા વિશ્વાસને કારણે આપણી ભાગીદારીને એક નવુ પરિમાણ અને દિશા મળી છે. ”
તેમણે એમ પણ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ એ દક્ષિણ એશિયામાં ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર તો છે જ પણ સાથે-સાથે વિકાસમાં પણ ભાગીદાર છે. તેમણે બંને દેશો વચ્ચે થયેલા કનેક્ટિવીટી વધે તેવા વીજ વિતરણ, ફ્રેન્ડશિપ પાઈપલાઈન, માર્ગો, રેલવે, ઈન્ટરનેટ, એરવેઝ અને જળમાર્ગો જેવા સંખ્યાબંધ સહયોગોની યાદી આપતાં જણાવ્યું હતું કે આ બધુ બંને દેશોના લોકોને પણ વધુને વધુ પ્રમાણમાં જોડે છે.
પ્રધાનમંત્રીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે બંને દેશોનો વારસો ટાગોર, કાજી નઝરૂલ ઈસ્લામ, ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન, લલોન શાહ, જીવણાનંદ દાસ અને ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર જેવા બૌદ્ધિકો પાસેથી મળેલો છે.
તેમણે જણાવ્યું હતું કે બંગબંધુ પાસેથી મળેલો વારસો અને પ્રેરણાથી બંને દેશોનો વારસો ખૂબ જ ઘનિષ્ઠ અને ઉંડાણ ધરાવનારો બન્યો છે અને બંગબંધુએ વિતેલા દાયકામાં બંને દેશો વચ્ચે ભાગીદારી, પ્રગતી અને સમૃદ્ધિનો મજબૂત પાયો નાખ્યો છે.
બંને દેશો માટેના હવે પછીના સિમાચિન્હોનો નોંધ લેતાં તેમણે આવતા વર્ષે બાંગ્લાદેશની આઝાદીની 50મી વર્ષગાંઠ તથા વર્ષ 2022માં ભારતની આઝાદીની 75 વર્ષગાંઠનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ બંને સિમાચિન્હો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિકાસ તો લાવશે જ પણ સાથે-સાથે બંને દેશો વચ્ચે મૈત્રીનો નાતો પણ વધુ મજબૂત બનાવશે.
RP
शेख हसीना जी ने मुझे इस ऐतिहासिक समारोह का हिस्सा बनने के लिए व्यक्तिगत तौर पर निमंत्रण दिया था।
— PMO India (@PMOIndia) March 17, 2020
लेकिन कोरोना वायरस की वजह से ये संभव नहीं हो पाया।
फिर शेख हसीना जी ने ही विकल्प दिया, और इसलिए मैं वीडियो के माध्यम से आपसे जुड़ रहा हूं: PM @narendramodi
बंगबंधु शेख मुजीबुर-रहमान पिछली सदी के महान व्यक्तित्वों में से एक थे। उनका पूरा जीवन, हम सभी के लिए बहुत बड़ी प्रेरणा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2020
आज मुझे बहुत खुशी होती है, जब देखता हूं कि बांग्लादेश के लोग, किस तरह दिन-रात अपने प्यारे देश को शेख मुजीबुर-रहमान के सपनों का ‘शोनार-बांग्ला’ बनाने में जुटे हुए हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2020
एक दमनकारी, अत्याचारी शासन ने, लोकतांत्रिक मूल्यों को नकारने वाली व्यवस्था ने, किस तरह बांग्ला भूमि के साथ अन्याय किया, उसके लोगों को तबाह किया, ये हम सभी भली-भांति जानते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2020
उस दौर में जो तबाही मचाई गई थी, जो Genocide हुआ, उससे बांग्लादेश को बाहर निकालने के लिए, एक Positive और Progressive Society के निर्माण के लिए उन्होंने अपना पल-पल समर्पित कर दिया था: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2020
बंगबंधु की प्रेरणा से और प्रधानमंत्री शेख हसीना जी के नेतृत्व में बांग्लादेश आज जिस प्रकार Inclusive और Development Oriented Policies के साथ आगे बढ़ रहा है, वो बहुत प्रशंसनीय है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2020
मुझे इस बात की भी खुशी है कि बीते 5-6 वर्षों में भारत और बांग्लादेश ने आपसी रिश्तों का भी शोनाली अध्याय गढ़ा है, अपनी पार्टनरशिप को नई दिशा, नए आयाम दिए हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2020
ये हम दोनों देशों में बढ़ता हुआ विश्वास है, जिसके कारण हम दशकों से चले आ रहे Land Boundary, Maritime Boundary से जुड़े Complex मुद्दों को, शांति से सुलझाने में सफल रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2020
बांग्लादेश आज साउथ एशिया में भारत का सबसे बड़ा ट्रेडिंग पार्टनर भी है और सबसे बड़ा डेवलपमेंट पार्टनर भी है।
— PMO India (@PMOIndia) March 17, 2020
भारत में बनी बिजली से बांग्लादेश के लाखों घर और फैक्ट्रियां रोशन हो रही है। Friendship Pipeline के माध्यम से एक नया Dimension हमारे रिश्तों में जुड़ा है: PM @narendramodi
हमारी विरासत टैगोर की है, काज़ी नज़रुल इस्लाम, उस्ताद अलाउद्दीन खान, लालॉन शाह, जीबानंदा दास और ईश्वर चंद्र विद्यासागर जैसे मनीषियों की है।
— PMO India (@PMOIndia) March 17, 2020
इस विरासत को बंगबंधु की प्रेरणा, उनकी Legacy ने और व्यापकता दी है: PM @narendramodi
भारत और बांग्लादेश के आत्मीय संबंध, इस साझा विरासत की मज़बूत नींव पर ही गढ़े गए हैं।
— PMO India (@PMOIndia) March 17, 2020
हमारी यही विरासत, हमारे आत्मीय संबंध, बंगबंधु का दिखाया मार्ग, इस दशक में भी दोनों देशों की Partnership, Progress और Prosperity का मजबूत आधार हैं: PM @narendramodi
अगले वर्ष बांग्लादेश की ‘मुक्ति’ के 50 वर्ष होंगे और उससे अगले वर्ष यानि 2022 में भारत की आज़ादी के 75 वर्ष होने वाले हैं।
— PMO India (@PMOIndia) March 17, 2020
मुझे विश्वास है कि ये दोनों पड़ाव, भारत-बांग्लादेश के विकास को नई ऊँचाई पर पहुंचाने के साथ ही, दोनों देशों की मित्रता को भी नई बुलंदी देंगे: PM @narendramodi