Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીને ‘શ્રીલંકા મિત્ર વિભૂષણ’થી નવાજવામાં આવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે રાષ્ટ્રપતિ દિસાનાયકે ‘શ્રીલંકા મિત્ર વિભૂષણ’થી સન્માનિત કર્યા. આભાર વ્યક્ત કરતા શ્રી મોદીએ કહ્યું કે, આ ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેની ઊંડા મૂળની મિત્રતા અને ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે.

X પર વિવિધ પોસ્ટ્સમાં તેમણે લખ્યું:

“આજે રાષ્ટ્રપતિ દિસાનાયકે દ્વારા ‘શ્રીલંકા મિત્ર વિભૂષણ’થી સન્માનિત થવું મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ સન્માન મારું એકલાનું નથી – તે ભારતના 1.4 અબજ લોકોને સમર્પિત છે. તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેની ઊંડા મૂળની મિત્રતા અને ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે. હું આ સન્માન માટે રાષ્ટ્રપતિ, સરકાર અને શ્રીલંકાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  pibahmedabad1964@gmail.com