Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી હરીશભાઈ નાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રી હરીશભાઈ નાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે સેવાકીય પ્રવૃત્તિઓ અને સંગઠનાત્મક કાર્યમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.

તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:

“રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રી હરીશભાઈ નાયકના અવસાનથી દુઃખ થયું. સેવાકીય પ્રવૃત્તિઓ અને સંગઠનાત્મક કાર્યોમાં તેમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.

નોંધનીય છે કે તેઓએ પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કર્યું અને મૃત્યુ પછી, તેઓની ઈચ્છા અનુસાર ભાવિ પેઢીઓના શિક્ષણ માટે દેહદાન કરવામાં આવ્યું.

ઈશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના….

ૐ શાંતિ…!!”

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  pibahmedabad1964@gmail.com