Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના નાંદેડ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના નાંદેડમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના સગા માટે PMNRF તરફથી રૂ. 2 લાખ અને ઘવાયેલાઓને રૂ. 50,000 ની સહાયની જાહેરાત કરી.

X પર પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલે કહ્યું:

“મહારાષ્ટ્રના નાંદેડમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિથી દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે.

PMNRF તરફથી રૂ. 2 લાખની સહાયની જાહેરાત દરેક મૃતકના સગાને કરવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi”

AP/JY/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  pibahmedabad1964@gmail.com