Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પાસલા કૃષ્ણા ભારતીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાસલા કૃષ્ણા ભારતીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે, તેઓ એક સમર્પિત ગાંધીવાદી હતાં જેમણે મહાત્મા ગાંધીના આદર્શો દ્વારા રાષ્ટ્રનિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.

એક્સ પર એક હૃદયસ્પર્શી સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“પાસાલા કૃષ્ણા ભારતીજીના નિધનથી દુઃખ થયું છે. તેઓ ગાંધીવાદી મૂલ્યો પ્રત્યે સમર્પિત હતા અને બાપુના આદર્શો દ્વારા રાષ્ટ્રનિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે આપણા સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન સક્રિય રહેલા તેમના માતાપિતાના વારસાને અદ્ભુત રીતે આગળ ધપાવ્યો હતો. મને ભીમાવરમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમની સાથે થયેલી મુલાકાત યાદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ: PM @narendramodi”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  pibahmedabad1964@gmail.com