Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવનાર હોવાનું કહ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમાનું કાર્ય પૂર્ણ થયું ન હોવાથી એ પૂર્ણ થાય ત્યાં સુધી, પ્રધાનમંત્રી 23મી જાન્યુઆરી, 2022ના રોજ તેમની જન્મજયંતી પર તેમની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરશે.

શ્રેણીબદ્ધ ટ્વીટમાં,પ્રધાનમંત્રીએ કહ્યું;

“એ સમયે જ્યારે સમગ્ર રાષ્ટ્ર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે મને એ જણાવતા આનંદ થાય છે કે ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. આ ભારતના તેમના પ્રત્યેના ઋણનું પ્રતિક હશે. 

જ્યાં સુધી નેતાજી બોઝની ભવ્ય પ્રતિમા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા તે જ જગ્યાએ હાજર રહેશે. હું 23મી જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતીએ હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરીશ.”

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com