પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આઈડીબીઆઈ બેંકમાં સરકારનો હિસ્સો ઘટાડીને 50 ટકાથી ઓછો કરવાની મંજૂરી આપી દીધી છે. મંત્રીમંડળે બેંકમાં પ્રમોટર સ્વરૂપે ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી) દ્વારા અધિમાન્ય ફાળવણી/ઇક્વિટીની ઓપન ઑફરનાં માધ્યમથી તથા બેંકમાં સરકાર દ્વારા વ્યવસ્થાપન નિયંત્રણ છોડવાથી બેંકનાં નિયંત્રણકારક હિસ્સાનાં અધિગ્રહણને મંજૂરી આપી દીધી છે.
અસરઃ
પૃષ્ઠભૂમિ :
નાણાંમંત્રીએ વર્ષ 2016માં પોતાનાં બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે આઇડીબીઆઈ બેંકમાં પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને સરકાર આ પ્રક્રિયાને ચાલુ રાખશે તથા પોતાનો હિસ્સો ઘટાડીને 50 ટકાથી ઓછાં કરવાનાં વિકલ્પ પર વિચાર કરશે. આ ઘોષણાને ધ્યાનમાં રાખીને એલઆઇસીએ બોર્ડની મંજૂરી સાથે આઇડીબીઆઈ બેંકમાં નિયંત્રણકારી હિસ્સાનું હસ્તાંતરણ કરવા માટે ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (આઇઆરડીએઆઈ) પાસેથી મંજૂરી માંગી હતી. એલઆઇસીએ આઇઆરડીએઆઈ પાસેથી મંજૂરી મળતાં આઇડીબીઆઈ બેંકનાં 51 ટકા નિયંત્રણકારી હિસ્સાનાં હસ્તાંતરણમાં રસ દાખવ્યો છે. તેનાં બદલામાં બેંકે બોર્ડ દ્વારા વિચાર કર્યા પછી પ્રસ્તાવિત અધિગ્રહણનાં પરિણામ સ્વરૂપે સરકારનો હિસ્સો 51 ટકાથી ઓછો કરવાનાં સરકારનાં નિર્ણયની જાણકારી માંગી છે.
RP