પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ઇન્દોર મેટ્રો રેલ યોજનાને મંજૂરી આપી દીધી છે, જેમાં બંગાળી સ્ક્વેયર-વિજયનગર-ભાવરશાળા-એરપોર્ટ-પાટાસિયા-બંગાળી સ્ક્વેયર રિંગ લાઇન સામેલ છે. આ માર્ગની કુલ લંબાઈ 31.55 કિલોમીટર છે, જે ઇન્દોરનાં તમામ મુખ્ય કેન્દ્રો અને શહેરી વિસ્તારોને જોડશે.
વિગતઃ
ફાયદાઃ
મેટ્રો રેલ યોજનાથી ઇન્દોરની 30 લાખની વસતિને પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે લાભ થશે તથા આ મેટ્રો રેલવે કોરિડોરથી રેલવે સ્ટેશન, બીઆરડી સ્ટેશન, બસોનું ફીડર નેટવર્ક, ઇન્ટરમીડિયટ પબ્લિક ટ્રાન્સપોર્ટ તથા નોન-મોટર પરિવહન માટે મલ્ટિમોડલનો સમન્વય થશે. આ યોજનામાં પ્રવાસી ભાડાં ઉપરાંત ભાડું અને જાહેરાત, ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (ટીઓડી) અને ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઇટ (ટીડીઆર)થી કમાણી થશે.
મેટ્રો રેલવે કોરિડોરની આસપાસનાં રહેણાક વિસ્તારોને બહુ લાભ થશે, કારણ કે આ લોકો પોતાની આસપાસનાં સ્ટેશનોથી શહેરનાં વિવિધ વિસ્તારોમાં સરળતાપૂર્વક પહોંચી જશે. રિંગ લાઇન સ્માર્ટ સિટી યોજના અંતર્ગત શહેરની ગીચ વસતિ ધરાવતાં વિસ્તારો અને નવા વિકસિત થઈ રહેલાં ક્ષેત્રોનાં રેલવે સ્ટેશન, એરપોર્ટ અને એબીડી સાથે જોડાશે.
મેટ્રો રેલવેથી સ્થાનિક રહેવાસીઓ, પ્રવાસીઓ, ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, મુલાકાતીઓ અને પર્યટકોને પર્યાવરણને અનુકૂળ તથા સતત જાહેર પરિવહનનું સાધન ઉપલબ્ધ થશે.
પ્રગતિઃ
RP