પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીની એક શાળામાં શ્રમદાન કરીને સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સામેલ થયાં હતાં.
દેશભરનાં 17 સ્થળો પરથી સમાજનાં વિવિધ વર્ગનાં આગેવાનો સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે વાર્તાલાપ કર્યા બાદ તેમણે અભિયાનનો શુભારંભ કર્યો હતો. પ્રધાનમંત્રી મધ્ય દિલ્હીમાં રાણી ઝાંસી રોડ પર સ્થિત બાબાસાહેબ આંબેડકર ઉત્તતર માધ્યમિક શાળએ પહોંચ્યાં હતાં. તેમણે બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયાં હતાં. તેમણે શાળાનાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી તથા સ્વચ્છતા માટે તેમનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રી પરંપરાગત પ્રોટોકોલ વિના સામાન્ય ટ્રાફિકમાં શાળા સુધી પહોંચ્યા હતાં અને પરત ફર્યા હતાં. આ મુલાકાત માટે કોઈ ખાસ ટ્રાફિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી નહોતી.
આ શાળનું પરિસર 1946માં ડૉ. આંબેડકરે ખરીદ્યું હતું, જેનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની શૈક્ષણિક, આર્થિક અને સામાજિક સુખાકારીને આગળ વધારવાનો હતો.
RP
Let us strengthen the Swachh Bharat Mission.
— Narendra Modi (@narendramodi) September 15, 2018
Joined the ‘Swachhata Hi Seva Movement’ at the Baba Sahib Ambedkar Secondary School in Paharganj, Delhi. This school’s campus was bought by the venerable Dr. Ambedkar to ensure children from poor families get quality education. #SHS18 pic.twitter.com/Rfry4UsOZ4
With enthusiastic young friends at the Baba Sahib Ambedkar Secondary School in Delhi. It is India’s youth that have led from the front and ushered in a positive change when it comes to cleanliness. #SHS18 pic.twitter.com/3xVxUPxZv5
— Narendra Modi (@narendramodi) September 15, 2018