પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સંરક્ષણ સેવાના કર્મચારીઓના સંબંધમાં 15 વર્ષથી ઓછી સેવા સાથે 30.12.1991 થી 29.11.1999 દરમિયાન મૃત્યુ પામેલા અથવા સેવામાંથી બરતરફ થયેલા કર્મચારીઓની 180 દિવસ સુધીની રજાઓને રોકડમાં પરિવર્તિત કરવાની મંજૂરી આપી દીધી છે.
આ નિર્ણયથી 9777 અધિકારીઓના પરિવારોને તથા અન્ય સંરક્ષણ સેવાના કર્મચારીઓને લાભ થશે કે જેઓ આ સમય દરમિયાન મૃત્યુ પામ્યા છે અથવા સેવામાંથી બરતરફ થયા છે. આ સમયગાળો ખૂબ જ અગત્યનો છે કારણકે આ સમયગાળા દરમિયાન કારગીલ સંઘર્ષ (ઓપરેશન વિજય) તથા જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વમાં વિદ્રોહની પરિસ્થિતિ દરમિયાન મોટી સંખ્યામાં જાનહાની થઇ હતી.
J.Khunt/TR/GP