Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. શંકર રાવ તત્વવાદી જીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ડૉ. શંકર રાવ તત્વવાદી જીના નિધન પર શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ કહ્યું કે ડૉ. શંકર રાવ તત્વવાદી જીને રાષ્ટ્ર નિર્માણ અને ભારતના સાંસ્કૃતિક ઉત્થાનમાં તેમના વ્યાપક યોગદાન માટે યાદ કરવામાં આવશે. શ્રી મોદીએ કહ્યું, “હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને ભારત અને વિદેશમાં અનેક પ્રસંગોએ તેમની સાથે વાતચીત કરવાની મને તક મળી છે. તેમની વૈચારિક સ્પષ્ટતા અને સૂક્ષ્મ કાર્યશૈલી હંમેશા અલગ રહી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ડૉ. શંકર રાવ તત્વવાદીજીના નિધનથી દુઃખ થયું છે. રાષ્ટ્રનિર્માણ અને ભારતના સાંસ્કૃતિક ઉત્થાનમાં તેમના વ્યાપક યોગદાન માટે તેમને યાદ કરવામાં આવશે. તેમણે પોતાને RSS માટે સમર્પિત કર્યા અને તેમના વૈશ્વિક પ્રસારને આગળ વધારીને પોતાની એક ઓળખ બનાવી. તેઓ એક પ્રતિષ્ઠિત વિદ્વાન પણ હતા, જેઓ હંમેશા યુવાનોમાં જિજ્ઞાશાની ભાવનાને પ્રોત્સાહન આપતા હતા. વિદ્યાર્થીઓ અને વિદ્વાનો BHU સાથેના તેમના જોડાણને પ્રેમથી યાદ કરે છે. તેમના વિવિધ જુસ્સામાં વિજ્ઞાન, સંસ્કૃત અને આધ્યાત્મિકતાનો સમાવેશ થાય છે.

હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને ભારત અને વિદેશમાં અનેક પ્રસંગોએ તેમની સાથે વાતચીત કરવાની તક મળી છે. તેમની વૈચારિક સ્પષ્ટતા અને સાવધાનીપૂર્વકની કાર્યશૈલી હંમેશા સામે આવી છે.

ઓમ શાંતિ

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com