Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આજે સવારે, વિશ્વ વન્યજીવન દિવસે હું ગીરમાં સફારી પર ગયો. જે આપણે બધા જાણીએ છીએ તેમ ભવ્ય એશિયાઈ સિંહનું ઘર છે; ગીર આવીને મને તે કામની યાદો પણ તાજી થઈ ગઈ. જે અમે સામૂહિક રીતે ત્યારે કર્યું હતું, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતોઃ પ્રધાનમંત્રી


છેલ્લા ઘણા વર્ષોમાં સામૂહિક પ્રયાસોથી એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે; એશિયાઈ સિંહોના નિવાસસ્થાનને જાળવવામાં આદિવાસી સમુદાયો અને આસપાસના વિસ્તારોની મહિલાઓની ભૂમિકા પણ એટલી જ પ્રશંસનીય છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગીરમાં સફારી પર ગયા, જે ભવ્ય એશિયાઈ સિંહના ઘર તરીકે જાણીતું છે.

X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:.

“આજે સવારે, #WorldWildlifeDay પર, હું ગીરમાં સફારી પર ગયો, જે આપણે બધા જાણીએ છીએ તેમ ભવ્ય એશિયાઈ સિંહનું ઘર છે. ગીરમાં આવવાથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતી વખતે અમે સામૂહિક રીતે કરેલા કાર્યની ઘણી યાદો પણ તાજી થઈ જાય છે. છેલ્લા ઘણા વર્ષોમાં સામૂહિક પ્રયાસોથી તે સુનિશ્ચિત થયું છે કે એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. એશિયાઈ સિંહોના નિવાસસ્થાનને જાળવવામાં આદિવાસી સમુદાયો અને આસપાસના વિસ્તારોની મહિલાઓની ભૂમિકા પણ એટલી જ પ્રશંસનીય છે.”

અહીં ગીરની કેટલીક વધુ ઝલક છે. હું તમને સૌને ભવિષ્યમાં ગીરની મુલાકાત લેવા માટે આગ્રહ કરું છું.”

ગીરમાં સિંહો અને સિંહણો! આજે સવારે મેં ફોટોગ્રાફી કરવાનો પ્રયાસ કર્યો.”

*********

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com