Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પીએમ નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પીએમ પ્રવિંદ જગનાથ 29મી ફેબ્રુઆરીના રોજ મોરેશિયસના અગાલેગા ટાપુ ખાતે નવી એરસ્ટ્રીપ અને એક જેટીનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિંદ જગનાથ, 29 ફેબ્રુઆરી 2024 ના રોજ બપોરે 1 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોરેશિયસના અગાલેગા ટાપુ ખાતે છ સમુદાય વિકાસ પ્રોજેક્ટ્સ સાથે નવી એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ જેટીનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે.

આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન એ ભારત અને મોરેશિયસ વચ્ચેની મજબૂત અને દાયકાઓ જૂની વિકાસ ભાગીદારીનો પુરાવો છે. આ પ્રોજેક્ટ્સ મેઇનલેન્ડ મોરેશિયસ અને અગાલેગા વચ્ચે બહેતર જોડાણની માંગને પૂર્ણ કરશે, દરિયાઈ સુરક્ષાને મજબૂત કરશે અને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.

આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન મહત્વપૂર્ણ છે કારણ કે તે 12 ફેબ્રુઆરી 2024ના રોજ બંને નેતાઓ દ્વારા મોરિશિયસમાં UPI અને RuPay કાર્ડ સેવાઓના તાજેતરના લોંચને અનુસરે છે.

AP/GP/JD