પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.
સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ – ઉદ્યોગો માટે અવિરત નિકાસ–આયાત કામગીરીની સુવિધા પણ આપશે. આ વ્યૂહાત્મક પગલું અભૂતપૂર્વ આર્થિક સંભવિતતાને અનલોક કરવાનું વચન આપે છે, જે સુરતને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં મુખ્ય ખેલાડી બનાવશે અને આ ક્ષેત્ર માટે સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન આપશે.
ભારતમાં ઝડપથી વિકસતા શહેર સુરતે નોંધપાત્ર આર્થિક કૌશલ્ય અને ઔદ્યોગિક વિકાસનું પ્રદર્શન કર્યું છે. આર્થિક વૃદ્ધિ વધારવા, વિદેશી રોકાણને આકર્ષવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા માટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જા સુધી પહોંચાડવું એ સર્વોપરી છે. મુસાફરોની અવરજવર અને કાર્ગોની કામગીરીમાં વધારા સાથે એરપોર્ટનું આંતરરાષ્ટ્રીય હોદ્દો પ્રાદેશિક વિકાસ માટે મહત્ત્વપૂર્ણ પ્રોત્સાહન પ્રદાન કરશે.
YP/JD
Surat is synonymous with dynamism, innovation and vibrancy. Today’s Cabinet decision on declaring Surat Airport as an international one will boost connectivity and commerce. And, it will give the world an opportunity to discover Surat’s amazing hospitality, especially the… https://t.co/bAhnv8bM0O
— Narendra Modi (@narendramodi) December 15, 2023