Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેપાળના પ્રધાનમંત્રી માનનીય શ્રી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

બંને નેતાઓએ ભારત-નેપાળ દ્વિપક્ષીય સહકારના વિવિધ પાસાઓની સમીક્ષા કરી અને પ્રધાનમંત્રી પ્રચંડની તાજેતરની 31 મે થી 3 જૂન 2023 સુધીની ભારત મુલાકાત દરમિયાન યોજાયેલી ચર્ચાઓ પર ફોલો-અપ કર્યું, જેથી દ્વિપક્ષીય ભાગીદારીને આગળ વધારી શકાય અને બંને દેશો વચ્ચેની મિત્રતાથી ઊંડા સંબંધોને વધુ મજબૂત બનાવી શકાય.

નેપાળ, એક નજીકનો અને મિત્ર પાડોશી, ભારતની નેબરહુડ ફર્સ્ટનીતિમાં મુખ્ય ભાગીદાર છે.

આ ટેલિફોન વાતચીત બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાને ચાલુ રાખશે.

CB/GP/JD