Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ના 100 દિવસના કાઉન્ટડાઉનની ઉજવણી માટે 3-દિવસીય યોગ મહોત્સવ 2023માં ભાગ લેવા માટે દરેકને વિનંતી કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસીય યોગ મહોત્સવ 2023માં ભાગ લેવા માટે દરેકને વિનંતી કરી છે, જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ના 100 દિવસના કાઉન્ટડાઉનને યાદ કરવા માટેનો એક કાર્યક્રમ છે. ત્રણ દિવસીય યોગ મહોત્સવ 2023 તાલકટોરા સ્ટેડિયમ ખાતે 13-14 માર્ચના રોજ અને મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યોગામાં 15 માર્ચે નવી દિલ્હીમાં યોજાશે.

આયુષ મંત્રાલય દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

યોગ દિવસના સો દિવસો બાકી છે, તમને બધાને તેને ઉત્સાહ સાથે ચિહ્નિત કરવા વિનંતી કરું છું. અને, જો તમે યોગને તમારા જીવનનો એક ભાગ બનાવ્યો નથી, તો વહેલામાં વહેલી તકે કરો.”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com