Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ દ્વારા પાણી અંગે પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ દ્વારા પાણી અંગે પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા પાણી અંગે પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદને સંબોધિત કરી હતી. પરિષદની વિષયવસ્તુવોટર વિઝન @ 2047′છે અને ફોરમનો ઉદ્દેશ્ય ટકાઉ વિકાસ અને માનવ વિકાસ માટે જળ સંસાધનોનો ઉપયોગ કરવાના માર્ગો પર ચર્ચા કરવા માટે મુખ્ય નીતિ નિર્માતાઓને એક મંચ ઉપર એકત્રિત કરવાનો છે.

સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ જળ સુરક્ષાના ક્ષેત્રોમાં ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા અભૂતપૂર્વ કાર્યો રેખાંકિત કરીને દેશના જળ મંત્રીઓની પ્રથમ અખિલ ભારતીય પરિષદના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે આપણી બંધારણીય વ્યવસ્થામાં પાણીનો વિષય રાજ્યોના નિયંત્રણ હેઠળ આવે છે અને તે જળ સંરક્ષણ માટેના રાજ્યોના પ્રયાસો છે જે દેશને સામૂહિક લક્ષ્યોને હાંસલ કરવામાં ઘણો આગળ વધારશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આગામી 25 વર્ષ માટે વોટર વિઝન @ 2047 અમૃત કાળની યાત્રાનું એક મહત્વપૂર્ણ પરિમાણ છે”.

સમગ્ર સરકારઅનેસમગ્ર દેશના તેમના વિઝનનો પુનરોચ્ચાર કરતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તમામ સરકારોએ એક સિસ્ટમ તરીકે કામ કરવું જોઈએ. જેમાં જળ મંત્રાલય, સિંચાય મંત્રાલય, કૃષિ મંત્રાલય, ગ્રામીણ અને શહેરી વિકાસ મંત્રાલય તથા આપતિ વ્યવસ્થાપન જેવા રાજ્ય સરકારોના વિવિધ મંત્રાલયો વચ્ચે અવિરત આદાનપ્રદાન અને સંવાદો ચાલુ રહેવા જોઇએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિભાગો પાસે એકબીજાને લગતી માહિતી અને ડેટા હશે તો આયોજનને મદદ મળશે.

માત્ર એક સરકારના પ્રયાસોથી સફળતા મળતી નથી વાત નોંધતા પ્રધાનમંત્રીએ જાહેર અને સામાજિક સંસ્થાઓ અને નાગરિક સમાજોની ભૂમિકા તરફ ધ્યાન દોર્યું હતું અને જળ સંરક્ષણ સંબંધિત ઝુંબેશમાં તેમની મહત્તમ ભાગીદારી આપવા માટે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જનભાગીદારીને પ્રોત્સાહન આપવાથી સરકારની જવાબદારી ઓછી થતી નથી અને તેનો અર્થ નથી કે તમામ જવાબદારી લોકો પર નાખવાની છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જનભાગીદારીનો સૌથી મોટો ફાયદો છે કે લોકોમાં ઝુંબેશ પાછળ કરવામાં આવતા પ્રયાસો અને નાણાં ખર્ચવામાં આવે છે તે અંગે જાગૃતિ આવે છે. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે જનતા કોઈ ઝુંબેશ સાથે જોડાય છે, ત્યારે તેઓને કામની ગંભીરતા પણ જાણવા મળે છે. તેથી, કોઈપણ યોજના અથવા ઝુંબેશ પ્રત્યે લોકોમાં માલિકીની ભાવના પણ આવે છે”.

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાનનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, “જ્યારે લોકો સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાયા હતાં ત્યારે લોકોમાં પણ એક ચેતનાનો સંચાર થયો હતો.” ભારતના લોકોને તેમના પ્રયાસો માટે શ્રેય આપતાં, પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે સરકારે ઘણી પહેલો હાથ ધરી છે, ભલે તે ગંદકી દૂર કરવા માટે સંસાધનો એકત્ર કરવા હોય, વિવિધ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવું હોય કે શૌચાલયોનું નિર્માણ કરવું હોય, પરંતુ અભિયાનની સફળતા ત્યારે સુનિશ્ચિત થઈ જ્યારે લોકોએ નિર્ણય લીધો કે કોઈ ગંદકી હોવી જોઈએ. પ્રધાનમંત્રીએ જળ સંરક્ષણ તરફ જનભાગીદારીના વિચારને પ્રેરિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને જાગૃતિ જે પ્રભાવ પેદા કરી શકે તેને  રેખાંકિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, “આપણેવોટર અવેરનેસ ફેસ્ટિવલનું આયોજન કરી શકીએ છીએ અથવા સ્થાનિક સ્તરે યોજાતા મેળાઓમાં જળ જાગૃતિ સંબંધિત કાર્યક્રમો ઉમેરી શકાય છે.” તેમણે શાળાઓમાં અભ્યાસક્રમથી લઈને પ્રવૃત્તિઓ સુધીની નવીન રીતો દ્વારા યુવા પેઢીને વિષયથી અવગત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કરી રહ્યો છે જે અંતર્ગત અત્યાર સુધી 25 હજાર અમૃત સરોવરોનું નિર્માણ થઈ ચૂક્યું છે. તેમણે સમસ્યાઓને ઓળખવા અને ઉકેલો શોધવા માટે ટેકનોલોજી, ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સને જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને જિયોસેન્સિંગ અને જિયોમેપિંગ જેવી તકનીકોનો ઉલ્લેખ કર્યો જે ખૂબ મદદરૂપ થઈ શકે છે. તેમણે નીતિ સ્તરે પાણી સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે સરકારી નીતિઓ અને અમલદારશાહી પ્રક્રિયાઓ સાથે આવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

રાજ્ય માટે દરેક ઘર સુધી પાણી પૂરું પાડવાના મુખ્ય વિકાસ પરિમાણ તરીકેજલજીવન મિશનની સફળતા પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઘણા રાજ્યોએ સારું કામ કર્યું છે જ્યારે ઘણા રાજ્યો દિશામાં આગળ વધી રહ્યા છે. તેમણે ભલામણ કરી હતી કે એકવાર સિસ્ટમ અમલમાં આવી જાય તો આપણે ભવિષ્યમાં તે રીતે તેની જાળવણીની ખાતરી કરવી જોઈએ. તેમણે પ્રસ્તાવ મૂક્યો કે ગ્રામ પંચાયતોએ જળનું નેતૃત્વ કરવું જોઈએ જીવન મિશન, અને કાર્ય પૂર્ણ થયા પછી, તેઓએ પ્રમાણિત કરવું જોઈએ કે પૂરતું અને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. “દરેક ગ્રામ પંચાયતો પણ માસિક અથવા ત્રિમાસિક અહેવાલ ઓનલાઈન સબમિટ કરી શકે છે જેમાં ગામમાં કેટલા ઘરોને નળનું પાણી મળે છે તે જણાવવું જોઇએ.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે પાણીના પરીક્ષણની સિસ્ટમ પણ વિકસાવવી જોઈએ.

પ્રધાનમંત્રીએ ઉદ્યોગ અને કૃષિ બંને ક્ષેત્રોમાં પાણીની જરૂરિયાતો નોંધી હતી અને ભલામણ કરી હતી કે તેઓને જળ સુરક્ષા અંગે જાગૃત કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવે. તેમણે પાક વૈવિધ્યકરણ અને કુદરતી ખેતી જેવી તકનીકોના ઉદાહરણો આપ્યા જે પાણીના સંરક્ષણ પર હકારાત્મક અસર કરે છે. તેમણે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ શરૂ થયેલાપર ડ્રોપ મોર ક્રોપઅભિયાન પર પણ પ્રકાશ પાડ્યો હતો અને માહિતી આપી હતી કે દેશમાં અત્યાર સુધીમાં 70 લાખ હેક્ટરથી વધુ જમીનને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ લાવવામાં આવી છે. તેમણે ઉમેર્યુ હતું કે, “સૂક્ષ્મ સિંચાઈને તમામ રાજ્યો દ્વારા સતત પ્રોત્સાહન આપવું જોઈએ“. તેમણે અટલ ભુજલ સંરક્ષણ યોજનાનું ઉદાહરણ પણ આપ્યું હતું કે જ્યાં ભૂગર્ભજળના રિચાર્જ માટે તમામ જિલ્લાઓમાં મોટા પાયે વોટરશેડનું કામ જરૂરી છે અને ડુંગરાળ વિસ્તારોમાં સ્પ્રિંગ શેડને પુનઃજીવિત કરવા માટે વિકાસ કાર્યોને વેગ આપવાની જરૂરિયાત પર પણ ભાર મુકવામાં આવ્યો છે.

જળ સંરક્ષણ માટે રાજ્યમાં વન આવરણ વધારવાની જરૂરિયાત પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ પર્યાવરણ મંત્રાલય અને જળ મંત્રાલય દ્વારા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી હતી. તેમણે પાણીના તમામ સ્થાનિક સ્ત્રોતોના સંરક્ષણ પર ધ્યાન આપવાનું પણ આહ્વાન કર્યું હતું અને પુનરોચ્ચાર કર્યો હતો કે ગ્રામ પંચાયતોએ આગામી 5 વર્ષ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ જ્યાં પાણી પુરવઠાથી લઈને સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન સુધીનો રોડમેપ ધ્યાનમાં લેવો જોઈએ. પ્રધાનમંત્રીએ રાજ્યોને તે રીતો અપનાવવા પણ કહ્યું કે જ્યાં પંચાયત સ્તરે પાણીનું બજેટ તૈયાર કરવામાં આવે છે તેના આધારે કયા ગામમાં કેટલું પાણી જરૂરી છે અને તેના માટે શું કામ કરી શકાય છે. કેચ રેઈનઝુંબેશની સફળતા પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે આવા અભિયાનો રાજ્ય સરકારનો આવશ્યક ભાગ બનવો જોઈએ જ્યાં તેનું વાર્ષિક મૂલ્યાંકન થવું જોઈએ. તેમણે ઉમેર્યુ હતું કે, “વરસાદની રાહ જોવાને બદલે, વરસાદ પહેલા તમામ આયોજન કરવાની જરૂર છે“.

જળ સંરક્ષણના ક્ષેત્રમાં ચક્રીય અર્થવ્યવસ્થાના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે સરકારે બજેટમાં ચક્રીય અર્થવ્યવસ્થા પર ઘણો ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “જ્યારે ટ્રીટમેન્ટ કરેલા પાણીનો પુનઃઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તાજા પાણીનું સંરક્ષણ થાય છે, તે સમગ્ર ઇકોસિસ્ટમને લાભ આપે છે. તેથી વોટર ટ્રીટમેન્ટ, વોટર રિસાયક્લિંગ જરૂરી છે”. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્યોએ વિવિધ હેતુઓ માટેટ્રીટેડ વોટરનો ઉપયોગ વધારવાના માર્ગો શોધવા પડશે. “આપણી નદીઓ, આપણા જળાશયો સમગ્ર જળ ઇકોસિસ્ટમનો સૌથી મહત્વનો ભાગ છે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમણે દરેક રાજ્યમાં કચરા વ્યવસ્થાપન અને ગટર વ્યવસ્થાનું નેટવર્ક બનાવવા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના અંતમાં જણાવ્યું હતું કે, “નમામી કરીને ગંગે મિશન એક આદર્શ છે, અન્ય રાજ્યો પણ નદીઓના સંરક્ષણ માટે સમાન અભિયાનો શરૂ કરી શકે છે. પાણીને સહકાર અને સંકલનનો વિષય બનાવવાની દરેક રાજ્યની જવાબદારી છે”.

પાણી પર 1લી અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદમાં તમામ રાજ્યોના જળ સંસાધન મંત્રીઓએ હાજરી આપી હતી.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com