Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દેશમાં કોવિડ-19 રોગચાળાની સ્થિતિ અને રસીકરણ અભિયાનની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રીએ દેશમાં કોવિડ-19 રોગચાળાની સ્થિતિ અને રસીકરણ અભિયાનની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કોવિડ-19 રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરવા, ખાસ કરીને ઓમિક્રોન વેવ અને દેશમાં રસીકરણ અભિયાનની સ્થિતિના સંદર્ભમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

વૈશ્વિક પરિદ્રશ્ય અને ભારતની કોવિડ-19ની સ્થિતિ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. રસીકરણ ઝુંબેશ તરફ ભારતના સતત પ્રયાસો અને તાજેતરના ઉછાળા દરમિયાન ઓછા હોસ્પિટલમાં દાખલ થવા અને ઓછી ગંભીરતા અને મૃત્યુદરમાં મદદ કરવા માટે રસીની અસરકારકતાનું વિશ્લેષણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. સમીક્ષામાં તે બહાર આવ્યું છે કે કેન્દ્ર સરકારની આગેવાની હેઠળના સક્રિય અને સહયોગી પ્રયાસોએ ચેપના ફેલાવાને અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ કરી છે. એ પણ નોંધવામાં આવ્યું હતું કે ભારતની રોગચાળાના પ્રતિભાવ અને રસીકરણના પ્રયાસોની વૈશ્વિક સ્તરે W.H.O., સંયુક્ત રાષ્ટ્રસંઘ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ તેમજ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસના અહેવાલોમાં પ્રશંસા કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ વેક્સિનેટર, હેલ્થકેર વર્કર્સ, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવેલા અવિરત પ્રયાસોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કોવિડ સંબંધિત પ્રોટોકોલને અનુસરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કોવિડના યોગ્ય વર્તનને અનુસરવા અને યોગ્ય સમયે રસી અપાવવા માટે સમુદાય તરફથી સતત સમર્થન અને વ્યક્તિઓની ભાગીદારી માટે વિનંતી કરી હતી.

આ બેઠકમાં ગૃહમંત્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અને નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે હાજર હતા

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India